મોરબીની સ્વામીનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહાપૂજા યોજાઈ

- text


મોરબી : મોરબીની સ્વામીનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદ્યાત્મભાવ દ્વારા માનસિક દ્રઢતા માટેની આ સંકલ્પપૂર્તિ મહાપૂજામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોડાયા હતા. ધો. 10 અને 12ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ વર્ષભર કરેલી આયોજનબદ્ધ મહેનતની સાર્થકતા માટે તેમજ વાલીઓએ પોતાના સંતાનની સફળતા માટે આ મહાપૂજાના માધ્યમથી શ્રીહરિ અને સર્વ દેવોની પૂજા-અર્ચના કરીને વધુ સારા પરિણામ માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી. આ પ્રસંગે સંસ્થાના સંચાલક જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પુરુષાર્થની સાથે શ્રદ્ધાભાવનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સફળતા માટે આશીર્વાદ પાઠવેલ હતા.

- text