- text
મોરબી : મોરબીમાં સંત નિરાકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલમાં તા. 23 ફેબ્રુઆરીના રોજ સ્વચ્છતા દિન ઉજવાશે.
- text
સંત નિરાકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા તા. 23ના રોજ ભારતભરમાં સાડા ત્રણ લાખ સ્વયંસેવકો દ્વારા હોસ્પિટલ, રેલવે સ્ટેશન તથા સાર્વજનિક સ્થળો સહીત 1166 સ્થળોએ સ્વચ્છતા દિનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેના અંતર્ગત મોરબીની સરકારી હોસ્પિટલમાં સવારે 9 કલાકે સ્વચ્છતા માટેનું અભિયાન આદરવામાં આવશે. આ સ્વચ્છતા અભિયાનમાં ભુજના ઇન્ચાર્જ સખ્યાજી, મોરબીનુ નેપાળી ગ્રુપ તથા સભ્યો જોડાશે. તેમજ આ અભિયાનમાં જાહેર જનતાએ જોડાવા માટે ઉમા પ્લે હાઉસવાળા ધનજીભાઈ શેરસીયાએ આહવાન આપ્યું છે. જેના માટે મો.નં. 99095 60536 પર સંપર્ક કરવાનો રહેશે.
- text