- text
માળિયા : આજે મહા શિવરાત્રીના પાવન પર્વે હિંદુ સમાજના કુલદીપસિહ જાડેજા (વાઘરવા) સરપંચ એશોસીએસનના પ્રમુખ, જેશંગભાઈ (સરપંચ હરિપર), દીપક ગઢવી તથા જે.કે.ગઢવી એ માળીયા શિવ મંદીરે જલાભિષેક કર્યો હતો.એ દરમ્યાન આજે શુક્રવાર હોવાથી મુસ્લીમ ભાઈઓ પણ અહી મોટી સંખ્યામાં નમાજ અદા કરવા આવેલ ત્યારે મુસ્લીમ સમુદાયના લોકોએ આ હિંદુ ભાઈઓને કંકુ તિલક કરી મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવીને કોમી એકતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.
- text