મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં એન્ટી ડ્રગ્સ તથા ગેસ સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે પી.આઇ. જે. એમ. આલ અને તેમની ટીમ દ્વારા એન્ટી ડ્રગ્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સથી થતા નુકસાન અને કેવા-કેવા પ્રકારે કોઈપણ વ્યક્તિને નશાની લત લગાવવામાં આવે છે તેમજ આવા સમયે લોકોએ કેવા પગલા લેવા જોઈએ. તેમજ લોકો તેના વિશે જાગૃત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

- text

આ ઉપરાંત, ગત તા. ૨૦/૦૨/૨૦૨૦ ના રોજ HP Gas એજન્સી દ્વારા સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને ગેસ કનેક્શન, સબસીડી તેમજ ગેસને લગતી અન્ય વિવિધ પ્રકારની માહિતી સાથે પ્રાથમિક સાવચેતી તેમજ પ્રાથમિક સારવાર અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

- text