વાંકાનેર : મકાન ચણવામાં જમીન દબાવવા મામલે મારામારી

- text


વૃદ્ધાએ પાડોશી પરિવારના 11 શખ્સો સામે નોંધાવી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરમાં મકાન ચણવામાં પાડોશીની દીવાલ દબાવવા મામલે મારમારી થઈ હતી. જેમાં વૃદ્ધાએ પાડોશી પરિવારના 11 શખ્સો સામે માર માર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના આંબેડકરનગર શેરી નં.૫ માં રહેતા અંજુબેન ડાયાભાઇ વાધેલા ઉ.વ.૬૦ એ તે જ વિસ્તારમાં રહેતા ભરતભાઇ વિઠ્ઠલભાઇ રાઠોડ, હસમુખભાઇ શીવાભાઇ રાઠોડ, કૌશીકભાઇ ધીરૂભાઇ રાઠોડ, સુનીલભાઇ કેશાભાઇ રાઠોડ, કાળુભાઇ હીરાભાઇ, રમેશભાઇ હીરાભાઇ, અશોકભાઇ હીરાભાઇ, ધીરૂભાઇ શીવાભાઇ, કુલદીપભાઇ કાળુભાઇ, ટીપુભાઇ કાળુભાઇ, વિકીભાઇ ઝાલાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૧૯ ના રોજ ફરિયાદીનો પ્લોટ આરોપીની બાજુમાં આવેલ હોય, જે પ્લોટમાં ફરિયાદી તથા સાહેદ પાયાગાળી મકાન ચણવાનું કામ કરતા હોય, આ વખતે ફરિયાદી તથા સાહેદે આરોપીને તથા તેના પરિવારનાં સભ્યોની ૩ ફૂટ જમીન દબાવી હોય, તે બાબતે કહેતા આરોપીઓએ તલવાર તેમજ લાકડી અને પાણા સાથે આવી ફરિયાદી તથા સાહેદ દેવજી ડાયાભાઈને જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકા પાટુનો તથા છુંટા પાણાના ઘા મારી મૂંઢ ઈજા પહોચાડી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text