મોરબીમાં જયદર્શન વિજયજી મ.સા.ની નિશ્રામાં રત્નત્રયી મહોત્સવનો પ્રારંભ

- text


મોરબી : સ્વ. ગચ્છાધિપતિ પૂ. જયઘોષ સૂરિજી મ.સા.ના પ્રશિષ્ય નવકાર પ્રભાવક પૂ. જયદર્શન વિજયજી મહારાજ સાહેબ (નેમીપ્રેમી)ની પાવનકારી નિશ્રામાં જૈન શાસનના છેલ્લા 2250 વર્ષના રેકોર્ડ સમાન સામૂહિક નવલખા નવકાર જાપનું 414મુ સંપૂર્ણ દેશરક્ષાકારી નવકાર અનુષ્ઠાન મોરબીના હાઉસિંગ બોર્ડના શંખેશ્વર પાર્શ્વનાથજીના જિનાલય/ઉપાશ્રયમાં તા. 19 થી 22 ફેબ્રુઆરી સુધીમાં સંપન્ન થઈ રહ્યું છે. જેના માટે ટ્રસ્ટીગણ, કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ ખૂબ જહેમત ઉઠાવી આ રત્નત્રયી મહોત્સવનું આયોજન કર્યું છે. છેલ્લા 28 વર્ષોથી ચાલી રહેલ અવિરત કાર્યક્રમોમાં મુંબઈ, પનવેલ, પુના, વર્ધા તથા ભુજ પછી હવે મોરબી નવકારમય અને આરાધનામય બનશે, તેવી શુભેચ્છા આરાધકો એ પાઠવી છે. હાલ દેશભરમાં 27 અબજ નવકારના સામૂહિક જાપ પૂજ્યશ્રીના માર્ગદર્શનથી ચાલુ છે.

- text