મોરબીમાં કેસરીનંદન મિત્રમંડળ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન

- text


મોરબી : મોરબીમાં કેસરી નંદન મિત્રમંડળ દ્વારા સુંદરકાંડના પાઠનું આગામી તા. 8 માર્ચના રોજ રાત્રે 9 કલાકે લાલબાગ પાછળ રોટરી નગરમાં આવેલ કેસરીનંદન હનુમાનજીના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુંદરકાંડના પાઠ અશ્વિનકુમાર પાઠકના મધુર કંઠે કરવામાં આવશે. આ તકે આયોજકો દ્વારા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text