વાંકાનેર : ફળેશ્વર મહાદેવ મંદિરે 20મીએ જલારામબાપા તથા રામકિશોરદાસની મૂર્તિનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

- text


ફળેશ્વર દાદા (મુનિબાવા) ની જગ્યાના મહંત શ્રી રામકિશોરદાસજી બાપુની 12મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

વાંકાનેર : વાંકાનેર શહેરની પુનીત ધરતી ઉપર બિરાજેલ શ્રી ફળેશ્વર દાદા (મુનિબાવા) ની જગ્યા ના મહંત શ્રી રામકિશોરદાસજી બાપુ ની 12 મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહાવદ ૧૧ તા.20/2/2010 ને ગુરુવારના દિવસે અખિલ બ્રહ્માંડના નાયક શ્રી રામચંદ્ર પરમાત્માના સેવક શ્રી ભક્ત જલારામ બાપા તથા રામકિશોરદાસજીની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં વાંકાનેરની તમામ ધર્મપ્રિય જનતાને પધારવા આમંત્રણ આપવામાં આવેલ છે.

- text

આ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય સંતવાણી તારીખ 18/02/2020 મંગળવારે રાત્રે ૯:૦૦ કલાકે ફળેશ્વર મંદિરમાં રાખવામાં આવેલ છે. તેમજ નગરયાત્રા તારીખ 19/2/2019 બુધવારે બપોરે 4:00 દેના બેંક પાસેથી ફળેશ્વર મંદિર સુધી રાખવામાં આવે છે. તેમજ સંતોના સામૈયા તારીખ 19/02/2020 બુધવારે સાંજે 4:00 કલાકે કરવામાં આવશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમમાં દરેક ભાવિક ભક્તોને પધારવા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિએ આમંત્રણ આપેલ છે.

- text