મોરબી : વસતી ગણતરી માટે કર્મચારીઓને તાલીમ અપાઇ

- text


વસતી ગણતરીનું કામ અગત્યનું હોવાથી ખૂબ ચોક્કસાઈપૂર્વક કરાશે

મોરબી : દર દસ વર્ષે જનગણના એ ખૂબ અગત્યની રાષ્ટ્રીય કામગીરી છે અને દેશના આર્થિક અને સામાજિક વિકાસના આયોજનોનો તેના આંકડા આધાર સ્તંભ ગણાય છે. સમગ્ર દેશની સાથે ગુજરાતમાં હાલમાં જેઓ સન ૨૦૨૧ની વસતી ગણતરી કરવાના છે તેવા કર્મચારીઓ અને અધિકારીઓને સઘન તાલીમ આપવામાં આવી રહી છે. હાલમાં જ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સંબંધિત કર્મચારીઓને એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી, ડે. કલેક્ટર એચ. જી. પટેલ, સ્ટેટ ટ્રેનર સત્યનારાયણ યાદવ તેમજ જિલ્લા આયોજન અધિકારી બગીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ તાલીમમાં જિલ્લામાં વસતી ગણતરીની વાસ્તવિક ક્ષેત્રીય કામગીરી જેમની દોરવણી હેઠળ થવાની થવાની છે એવા ચાર્જ અધિકારીઓ, વસતી ગણતરી સહાયકો અને ટેકનિકલ મદદનીશો જોડાયા હતા.

- text

વસતી ગણતરીમાં પ્રથમવાર ડિજિટલીકરણ જોડવામાં આવ્યું છે એટલે એની પ્રક્રિયાને તાલીમ દરમિયાન વિગતવાર સમજી લેવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. વસતી ગણતરી એ જવાબદારી ભરેલી ખૂબ અગત્યની રાષ્ટ્રીય કામગીરી છે એટલે એ ખૂબ સચોટતા અને ચોક્કસાઈ સાથે કરવી જરૂરી છે. આ ખૂબ વ્યાપક ટીમ વર્ક હોવાથી એમણે દરેક તબક્કે સચોટ સંકલન જાળવવા તમામ તાલીમાર્થીઓને ખાસ ભલામણ કરવામાં આવી હતી.

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં વસતી ગણતરીની પૂર્વ તૈયારી રૂપે ટોચથી તળિયા સુધી માનવ સંપદા તાલીમ પૂરજોશમાં ચાલી રહી છે. સુપરવાઈઝર અને એન્યુમરેટરની તાલીમ પૂરી થયા પછી મધ્ય એપ્રિલથી હાઉસ લિસ્ટીંગ એટલે કે, ઘર યાદી બનાવવાની પ્રથમ કામગીરીની સાથે વાસ્તવિક જન ગણના શરૂ થશે તેવી વિગતો આ તાલીમમાં આપવામાં આવી હતી.

- text