માળીયાના ઘાટીલા ગામે ગૌમાતાને ભાવપૂર્વક સમાધી અપાઈ

- text


માળીયા : માળીયાના ઘાટીલા ગામે એક ગૌમાતાનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે ગૌપ્રેમીઓ દ્વારા આ ગૌમાતાને પોતાના સ્વજનની જેમ જ માન-સન્માનપૂર્વક તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી અને ભાવપૂર્વક આ ગૌમાતાને સમાધી આપીને ભારે હૈયે વિદાય આપી હતી.

- text

માળિયા તાલુકાના ઘાટીલા ગામે રહેતા ગૌપ્રેમી છગનભાઇ પ્રભુભાઈ વિડજા છેલ્લા દસ વર્ષથી એક ગૌમાતાનું કાળજી પૂર્વક જતન કરતા હતા અને ઘરના એક સભ્યની જેમ જ તેઓ આ ગૌમાતાને સાચવતા હતા. દરમિયાન આ ગૌમાતાએ ફાની દુનિયા છોડી દીધી હતી. ગૌમાતાની અણધારી વિદાયથી ગૌપ્રેમીઓમાં ભારે શોક વ્યાપી ગયો હતો. ત્યારે દિવંગત આ ગૌમાતાની અંતિમવિધિ ઘરના સ્વજનની જેમ જ માન સન્માનભેર કરવાનું નક્કી કર્યા બાદ ગૌપ્રેમીઓ દ્વારા ગૌમાતાની ભારે હૈયે અંતિમક્રિયા કરવામાં આવી હતી. જેમાં ગૌપ્રેમી છગનભાઇ પ્રભુભાઈ વિડજાના પ્લોટમાં જ ગૌમાતાને સમાધી આપવામાં આવી હતી અને ગૌપ્રેમીઓ દ્વારા ગૌમાતાની સમાધી પર અબીલ ગુલાલ અને ફુલહાર ચઢાવીને તેમને કોટી કોટી નમન કરીને ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી.

- text