મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં બોર્ડની પરીક્ષા સંદર્ભે સેમિનાર યોજાયો

- text


મોરબી : ધો.10-12 બોર્ડની પરીક્ષા જ્યારે નજીક આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારનું માર્ગદર્શન મળી રહે તે માટે સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે મિશન માર્ચ 2020 – ચાલો પરીક્ષા માણી લઈએ તે અંગે સેમિનારનું આયોજન થયું હતું. જેમાં સાર્થક વિદ્યામંદિરના અત્યાર સુધીના ધો.10 અને 12ના બોર્ડની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને સૌ પ્રથમ તેમના હસ્તે દીપપ્રજ્વલન કરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત સફળ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ કહ્યા હતા. ત્યારબાદ કિશોરભાઈ શુક્લએ ppt દ્વારા પરીક્ષામાટે તૈયારી તેમજ સફળતા માટેના મુદા આવરી લેતું વક્તવ્ય રજૂ કર્યું હતું અને અંતે પ્રશ્નોતરી દ્વારા વિદ્યાર્થીઓએ પોતાને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવ્યું હતું.

- text