વાંકાનેર : ખેતરમાં માલઢોર ચરાવવા મામલે આધેડને ધમકી આપી

- text


બે શખ્સો સામે ગુનો નોંધાયો

વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે ખેતરમાં માલઢોર ચરાવવા મામલે આધેડ સાથે ઝપાઝપી કરી બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની આધેડે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અબ્દુલભાઇ જલાલભાઇ વકાલીયા ઉ.વ. ૫૮ ધંધો ખેતી રહે.તીથવા ધાર લાલસાનગર સ્મશાન પાસે , વાંકાનેર વાળાએ આરોપીઓ કાળુભાઇ નંદાભાઇ ભરવાડ તથા શંકરભાઇ નંદાભાઇ ભરવાડ રહે. બંને તીથવા ધાર વિસ્તાર , વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે , ગઈકાલે તા.૮ ના રોજ બનેલા આ બનાવમાં ફરીયાદીએ વાવવા રાખેલ વાડીમાંનો કપાસનો અમુક ભાગનો પાક પાકી જતા જે વીણાઇ ગયેલ હોય જેમા આરોપીઓએ પોતાના માલ ઢોર ચરાવવાનુ કહેતા હાલમા ત્યાં જઇ શકાય નથી તેમ કહેતા આરોપીઓએ આ ખેતર કયા તારા બાપનુ છે તેમ કહી ઝપાઝપી કરી લાકડી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text