જામનગરના વૃદ્ધ દંપતીની કારને માળીયા પાસે અકસ્માત નડ્યો : સારવાર દરમિયાન પત્નીનું મોત

- text


માળીયા : જામનગરના વૃદ્ધ દંપતીની કારને ગતરાત્રે માળીયાના હરીપર ગામની ગોળાઈ પાસે અકસ્માત નડ્યો હતો.જેમાં કાર ટ્રક સાથે અથડાતા ઇજા પામેલા દંપતીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં આજે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જામનગરના કાલાવાડ તાલુકાના નિકાવા ગામે રહેતા હસનશા અબ્દુલશા શાહમદાર ઉ.વ.62 અને તેમના પત્ની બાનુંબેન હસનશા શાહમદાર ઉ.વ.52 સાથે ગતરાત્રે 10 વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને માળીયા મિયાણાના હરિપર ગામની ગોળાઈ પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે તેમની કાર એક ટ્રક સાથે અથડાતા કારમાં સવાર દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું.બાદમાં ઇજાગ્રસ્ત બન્ને પતિ પત્ની પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં આજે સારવાર દરમિયાન બાનુંબેનનું મોત નીપજ્યું હતું.આ બનાવની રાજકોટ હોસ્પિટલના જવાબદાર તબીબે માળીયા પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text