ભાવપરમાં દાડમ ડાડાના મંદિરે 14મીથી રામકથા જ્ઞાનયજ્ઞ

- text


માળીયા (મી.) : માળીયા (મી.)ના ભાવપર ગામમાં બાવરવા પરિવાર દ્વારા દાડમ ડાડાના મંદિરે આગામી તા. 14થી 22 ફેબ્રુઆરી સુધી રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં વ્યાસપીઠ સ્થાનેથી કેરાળીવાળા દિનેશબાપુ આગવી શૈલીમાં કથા રસપાન કરાવશે. કથાનો સમય બપોરે 1-30થી 5-30નો રહેશે. તા. 14ના રોજ જુના રામજી મંદિરેથી બપોરે 3 કલાકે પોથીયાત્રા નીકળશે. આયોજકો દ્વારા આ રામકથાનો લાભ લેવા ભાવિકજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text