ખાખરેચીમાં ગુજરાત પોષણ અભિયાન યોજાયું

- text


માળીયા (મી.) : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોષણ અભિયાન અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જેના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવે હતો. તેમાં માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને તાલુકા વિકાસ અધિકારી અને તાલુકાના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાનમાં આઈ.સી.ડી.એસ શાખા દ્વારા બાળ તંદુરસ્ત હરીફાઈ અને વાનગી હરીફાઈ આયોજન કરેલ હતું. તેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારને ઇનામ આપવામાં આવેલ હતા. બાળકો દ્વારા પોષણ અંતર્ગત બાળ અદાલત પણ કરવામાં આવેલ હતી. તેમજ તમામ લોકો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

- text