મોરબી : CAA કાયદાના સમર્થનમાં વડાપ્રધાન મોદીને 35,000થી વધુ પત્રો મોકલાયા

- text


મોરબી જીલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ નાગરિકતા કાયદા પ્રચંડ જનસમર્થન મળ્યું

મોરબી : મોરબી જીલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ નાગરિકતા કાયદા પ્રચંડ જનસમર્થન મળ્યું છે. જેમાં CAA કાયદો લાવવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહને અભિનંદન આપતા પત્રો લખવામાં આવ્યા હતા અને પત્રો જિલ્લા ભાજપ કાર્યાલયમાં જમા થયા બાદ જિલ્લા ભાજપ દ્વારા પોસ્ટ મારફત આશરે વડાપ્રધાન મોદીને 35000 થી વધુ પત્રો મોકલવામાં આવ્યા હતા.CAA કાયદો લાવવા બદલ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહને મોરબી જીલ્લા દ્વારા અભિનંદન આપતા પત્રો લખવામાં આવ્યા હતા. CAA કાયદાના સમર્થનમાં લોકોએ મોટી સંખ્યા લખેલા પત્રોને મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય જમા કરાવ્યા હતા. ત્યારે CAA કાયદાના સમર્થનમાં વડાપ્રધાન મોદીને અભિનંદન આપતા 35000થી વધુ પત્રોને જિલ્લા ભાજપ દ્વારા મોરબી પોસ્ટ ઓફિસ જમા કરાવવામાં આવ્યા હતા. જેમાં જીલ્લા પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારા, જીલ્લા મહામંત્રીશ્રી જ્યોતિસિંહ જાડેજા, હિરેનભાઇ પારેખ, પૂર્વ મોરબી તાલુકા પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, સહિત હોદેદારો તથા કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

- text