મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ગાંધીજી અંગે સેમિનાર યોજાયો

- text


મોરબી : ગઈકાલે તા. 28/01/2020 મંગળવારના રોજ મોરબીની સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને IITE-ગાંધીનગર વિભાગ દ્વારા 150મી ગાંધી જન્મજયંતી ઉજવણી ચાલી રહી છે, તે નિમિત્તે સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિધાર્થીઓ ગાંધીજીના જીવનથી પરીચિત બને અને ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા કાર્યો, તેમના વિવિધ સત્યાગ્રહ અને દેશની આઝાદી માટે તેમના યોગદાન વિશેની માહિતી મળી રહે તે હેતુથી સેમિનાર યોજાયો હતો. આ તકે સાથૅક વિદ્યામંદિરના આચાર્ય તેમજ સંચાલક ઉપસ્થિત રહ્યા હતા.

- text