વાંકાનેર : પ્રેમમાં નિષ્ફળતા મળતાં પ્રેમિકાના ઘરે જઈને યુવાનનો આપઘાત

- text


વાંકાનેરના ભીમગુડા ગામે હળવદના ચૂંપણી ગામના યુવાને એસિડ પીને જીવન ટૂંકાવ્યું

વાંકાનેર : હળવદના ચૂંપણી ગામે રહેતાં એક યુવાનને પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેણે હતાશ થઈને વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રહેતી પોતાની પ્રેમીકાના ઘરે જઈને એસિડ ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના ચૂંપણી ગામે રહેતાં ગોપાલભાઈ ગણેશભાઈ ઓળકીયા ઉ.વ.22 નામના યુવાને ગઈકાલે વાંકાનેરના ભીમગુડા ગામે એસિડ પી જતાં તેનું સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ વાંકાનેર પોલીસને નિવેદન આપ્યું હતું કે મૃતક યુવાનને ભીમગુડા ગામે રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો પણ યુવતીની બીજે સગાઈ થતાં યુવાન નાસીપાસ થઈ ગયો હતો અને અંતે પ્રેમમાં તેને નિષ્ફળતા મળતાં યુવાને ગઈકાલે યુવતીના ઘરે જઈને એસિડ પીને આપઘાત કરી લીધો હતો. જાણવાં મળતી વિગતો મુજબ મૃતક યુવાન પરણિત હતો અને બે સંતાનોનો પિતા હતો ત્યારે પરણિત હોવા છતાં પ્રેમમાં પડતાં અંતે નિરાશા જ હાથ લાગવાથી તેણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. જેથી તેના પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

- text