રાજકોટમાં કાલે વિશ્વવિક્રમ સર્જનાર તલવાર રાસમાં મોરબીની 80થી વધુ બહેનો ભાગ લેશે

- text


માંધાતાસિંહજીના રાજ્યાભિષેક દરમિયાન આશરે 3 હજાર જેટલી ક્ષત્રિયાણીઓ અદભુત તલવાર રાસ રજૂ કરશે

મોરબી : રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતાસિંહનો આવતીકાલે થનાર છે. તેમના રાજયભિષેક દરમિયાન આશરે 3 હજાર જેટલી ક્ષત્રિયાણીઓ અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. ત્યારે મોરબીના ક્ષત્રિય સમાજની 80થી વધુ બહેનો રાજકોટમાં હાજર રહીને અદભુત રીતે તલવાર રાસ રજૂ કરશે. રાજકોટ સ્ટેટના માંધાતાસિંહને આવતીકાલ તા.28ના રોજ નવા રાજવી તરીકે રાજતીલક થનાર છે.તેમનો ભવ્ય રીતે રાજયભિષેક કરવામાં આવશે. ત્યારે તેમના રાજયભિષેકને અદભુત તલવાર રાસ રૂપે ઉમળકાભેર વધાવવા માટે આશરે 3 હજાર જેટલી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદભુત તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના ક્ષત્રિય સમાજની 80 થી વધુ બહેનો આ તલવાર રાસમાં ઉત્સાહભેર ભાગ લેશે. આ તલવાર રાસ માટે ખાસ નિષ્ણાતો દ્વારા બહેનોને સામાકાંઠે સઘન તાલીમ આપવામાં આવી હતી. જેમાં તલવાર રાસના વિવિધ સ્ટેપ્સની ઉમદા રીતે તાલીમ આપવામાં આવી હતી. મોરબીના ક્ષત્રિય સમાજની 18 વર્ષથી 50 વર્ષ સુધીની બહેનો કાલે રાજકોટમાં માંધાતાસિંહના રાજ્યભિષેક દરમિયાન તલવાર રાસ રજૂ કરશે અને કુલ આશરે 3 હજાર જેટલી ક્ષત્રિયાણીઓ અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. મોરબીની આ બહેનોને શનાળા ગામના યુવાનોની ટીમે તલવાર રાસની તાલીમ આપી છે. આ બહેનો વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં પોતાનો ફાળો આપીને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કરશે.

- text