મોરબીના લાલપર ગામે 2 ફેબ્રુઆરીએ ખોડિયાર જન્મ જયંતિ ઉત્સવ ઉજવાશે

- text


ગરબા ઉત્સવ, માટેલ યાત્રા-ધ્વજારોહણ, મહા આરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

મોરબી : મોરબીના લાલપર ગામે આગામી તા. 2 ફેબ્રુઆરીના રોજ આઈશ્રી ખોડિયાર ગ્રૂપ દ્વારા ખોડિયાર જન્મ જયંતિ અવસરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગરબા ઉત્સવ, માટેલ યાત્રા- ધ્વજારોહણ , મહા આરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ખોડિયાર જન્મ ઉત્સવની અવસર હસમુખભાઈ પ્રવીણભાઈ સાવરિયાના આંગણે યોજાશે. જેમાં તા.1ના રોજ રાત્રે 9:30 કલાકે આઇશ્રી ખોડિયાર સાતેય બેનુનો રાસ ગરબા ઉત્સવ, તા.2ના રોજ સવારે 6:30 કલાકે લાલપર ગામથી માટેલ જવા માટે વાહનનું પ્રસ્થાન કરાવવામાં આવશે. જ્યાં 9 કલાકે બાવનગજની ધ્વજા ચડાવવામાં આવશે. ત્યારબાદ સવારે 11:30 કલાકે લાલપર ગામે મહાઆરતી અને બપોરે 12:30 કલાકે મહાપ્રસાદ યોજાશે. આ ઉત્સવ વૃંદાવન સોસાયટીની બાજુમાં યોજાશે. આ ધાર્મિક ઉત્સવમાં જોડાવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text