લજાઈ ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે ટીડીઓને રાવ

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામે પંચાયત દ્વારા કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એક આગેવાન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ પુરાવા સાથે થઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text

લજાઈ ગામના અમૃતભાઈ ચાવડાએ ટંકારા તાલુકા પંચાયતને રજુઆતમાં જણાવ્યું હતું કે લજાઈ ગ્રામ પંચાયત દ્વારા ચોક્કસ કારણો સાથે વિકાસ કામોમા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જેમા સ્ટ્રીટ લાઇટ, પાણીનો ટાંકો અને ધાટ પર રીતસર કોઈ ઉપયોગ ન કરે એવી રીતે કામ થયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે લજાઈ પંચાયતને તાળાબંધી બાદ નગરજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. તેવામા ફોટા રૂપી પુરાવા સાથેના ભ્રષ્ટાચારના આરોપથી અનેક સવાલો ઉભા થયા છે.

- text