હમીરપરમાં સોમવારથી હરિદર્શન સ્વામીના વ્યાસપીઠ સ્થાને ભાગવત સપ્તાહ

- text


ટંકારા : ટંકારાના હમીરપર ગામમાં પટેલ સમાજ વાડી ખાતે પટેલ સમાજ નિર્માણ સમિતિ દ્વારા સમાજના શ્રેષ્ઠી સ્વ. ઓધવજીભાઈ તળશીભાઈ ભોરણીયાની ત્રીજી પુણ્યતિથિએ ભાવાંજલિ અર્પણ કરવા તથા સમાજની વાડીના નિર્માણ હેતુ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહનો પ્રારંભ આગામી તા. 27 જાન્યુઆરીથી થશે. કથાનો સમય સવારે 9થી 12 તથા 2-30થી 5-30નો રહેશે. આ કથામાં વ્યાસપીઠ સ્થાને હૈદરાબાદમાં આવેલા નીલકંઠ વિદ્યાપીઠના હરિદર્શન સ્વામી પોતાની ભાવવાહી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધનલીલા, રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ-સુદામા મિલન સહિતના પ્રસંગો વણી લેવામાં આવશે. જેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા ભાવિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text