- text
ટંકારા : ટંકારાની આર્ય વિદ્યાલયમ ખાતે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આગામી તા. 25 જાન્યુઆરીએ મહાનુભાવો માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાળી ચૌદશના દિવસે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા જે વૈજ્ઞાનિક જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો, તેમાં સહાય કરનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. આ તકે ચીફ ગેસ્ટ અને સ્પીકર તરીકે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ IPS ડો. વિનોદકુમાર મોલ ઉપસ્થિત રહેશે. તેઓ ‘લેટ્સ ડેવલપ સાયન્ટિફિક એટીટ્યુડ’ પર વક્તવ્ય આપશે.
- text