મોરબીમાં એચ.આઈ.વી. પોઝીટીવ સગર્ભાઓ અને બાળકોને ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની જનરલ હોસ્પિટલના ART સેન્ટર ખાતે એચ.આઈ.વી. પોઝીટીવ સગર્ભાઓને અને બાળકોને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી છે. જેમાં 25 સગર્ભાઓ અને ૩૦ બાળકોને દાતા શેખરભાઈ, કિરણબેન ઠાકર, હસુભાઈ પુજારા, હિતેષભાઈ ભાવશારના આર્થિક સહયોગ થકી ન્યુટ્રીશન કીટ આપવામા આવી હતી.

- text

જેમાં જીલ્લા ટીબી/એચ.આઈ.વી ઓફિસર, ડૉ. ડી. વી. બાવરવા, જનરલ હોસ્પિટલ મોરબીના અધિક્ષક ડો. પી. કે. દૂધરેજીયા, RMO ડો. કે.આર.સરડવ।, એમ.ઓ. જીજ્ઞાસાબેન પારેજીયા, આઈ.સી.ટી.સી કાઉન્સેલર દિપેશભાઇ, એ.આર.ટી. કાઉન્સેલર રાજેશભાઈ, ફિલ્ડ કો-ઓર્ડિનેટર રાજેશભાઈ લાલવાણી, ટી.બી. હેલ્થ વીઝીટર ગોસાઈ નિખિલ, વિજયભાઈ – અનમોલ પ્રોજેકટ, પી.ઓ. ગણપતભાઈ વાઘેલા, એસ.ટી.આઇ. કાઉન્સલર પીન્ટુભાઈ સહિત જનરલ હોસ્પિટલ, અને એ.આર.ટી. સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

- text