માળીયા : દુકાનની દિવાલે પતરાનુ ઢાળીયુ હટાવવા મામલે દુકાનદાર ઉપર હુમલો

- text


બે શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાઇ

માળીયા : માળીયા મીંયાણામાં દુકાનની દિવાલે પતરાનુ ઢાળીયુ હટાવવા મામલે દુકાનદાર ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હતો.આ બનાવની દુકાનદારે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઇકબાલભાઇ શબીરભાઇ મોવર ઉવ ૩૧ ધધો વેલ્ડીંગ કામ રહે કાજેરડા ,માળીયા.મી વાળાએ આરોપીઓ દોષમામદભાઇ મુસાભાઇ ભટ્ટી ,ઇબ્રાઇમભાઇ મુસાભાઇ ભટ્ટી રહે બન્ને કાજેરડા , માળીયા.મી સામે ફરિયાદ નોંધાવી હતી કે , તા- ૧૦ રોજ ફરીયાદીની કાજેરડા ગામે દુકાનમાં પ્લાસ્ટર કરવા માટે આરોપીએ તેની દુકાનની દિવાલે પતરાનુ ઢાળીયુ કરેલ હોય તે હટાવવાનુ કહેતા આરોપીએ ફરીને કહેલ કે અહીયાથી જતો રહે તેમ કહી ફરીને જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને પકડી રાખી હાથમાના ધારીયાનો એક ઘા ફરીયાદીને માથાના ડાબી બાજુમાં એક ઘા મારી ઇજા કરી હતી. દુકાનદારે આ બનાવની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે બન્ને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text