માટેલ ગામે વારસાઈ જમીનના મનદુઃખમાં પારિવારિક ડખ્ખો : 4 ને માર માર્યો

- text


વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધીને ત્રણેય શખ્સોને ઝડપી લીધા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે વારસાઈ જમીનના મનદુઃખમાં પારિવારિક ડખ્ખો થયો હતો અને આ મારામારીમાં 4 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા.

- text

આ મારામારીના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જગદીશભાઇ વાલજીભાઇ વિંઝવાડીયા ઉ.વ.૨૩ રહે. માટેલ,વાંકાનેર વાળાએ નાગજીભાઇ કુકાભાઇ વિંઝવાડીયા ઉ.વ ૪૨ , ભાનુબેન નાગજીભાઇ ઉ.વ. ૪૧ , સુનીતાબેન નાગજીભાઇ વિંઝવાડીયા ઉ.વ. ૨૦ રહે. બધા જામસર ચોકડી પાસે ટીસાભાઇની વાડીએ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે , તા.૯ ના સવારના આઠેક વાગ્યા ના સુમારે માટેલ ગામે બનેલા બનાવમાં ફરિયાદીને પિતા તથા આ એક આરોપીને જુના બાપ દાદાની જમીનના ભાગ બાબતે મનદુખ હોય જેથી આ કામના ત્રણેય આરોપીઓ એ એકસંપ કરી ફરીયાદીના ધરે જઇ ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીઓએ ફરિયાદીને ધોકા વડે હાથમાં ત્રણ- ચાર ધા મારી ફેકચર કરી તેમજ સાહેદ ભાનુબેનને જમણા હાથમાં ધોકો મારી ફેકચર કરી તથા સાહેદ મહેશભાઇનેને મોઢે જાપટુ મારી વિખોડીયા ભરી અને સાહેદ વાલજીભાઇને પણ માથામાં લાકડીનો ધા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.

- text