- text
વાંકાનેર : દિલ્હી સ્થિત JNU જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં દેશ વિરોધી તત્વો દ્વારા રાષ્ટ્રવાદી સંગઠન ABVP ના કાર્યકર્તા ઉપર થયેલા હીંચકારા હુમલાના વિરોધમાં વાંકાનેર ABVP દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. દિલ્હી સ્થિત JNU જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં દેશ વિરોધી તત્વો દ્વારા રાષ્ટ્રવાદી સંગઠન ABVP ના કાર્યકર્તા ઉપર હુમલા કરવામાં આવ્યો હતો.આ હુમલાનો સમગ્ર ABVP સંગઠનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે આ બનાવના વિરોધમાં ABVP વાંકાનેર દ્વારા સોરાષ્ટ્ર યુનિવર્સિટીના વિધાર્થીઓ અને ABVPના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને અને પ્લે કાર્ડ બનાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.તેમજ જણાવ્યું હતું કે ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશના પૂનઃનિર્માણના ધ્યેય લઈને 9 જુલાઈ 1949 થી રચનાત્મક કાર્ય કરતું દેશનું નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. તથા વિદ્યાર્થીઓને થયેલ અન્યાયના મુદ્દે હંમેશા વિદ્યાર્થીઓના પક્ષમાં ઉભું રહેવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે કર્ણાવતી ખાતે ગાંધીવાદની વાત કરીને ગુજરાતમાં અહિંસા ફેલાવતા NSUI ના તત્વો દ્વારા ABVPના પ્રદેશ કાર્યાલય પર કરવામાં આવેલ હુમલાના વિરોધમાં તેમને સદ્બુદ્ધિ મળે એવા સૂત્રોચાર કરીને અને હવન રાખી શાંતિપૂર્ણ પ્રદશન દર્શાવામાં આવ્યું હતું.
- text