વિરપરની નાલંદા વિદ્યાલય દ્વારા 11મી તથા 12મીએ વાર્ષિકોત્સવ

- text


મોરબી : વિરપરની નાલંદા વિદ્યાલય દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કળાની રજૂઆત કરવામાં આવશે. જે અંતર્ગત ધો. 6થી 9ના વિદ્યાર્થીઓ માટે આગામી તા. 11 જાન્યુઆરીના રોજ ‘સોરઠી ડાયરી’નો કાર્યક્રમ સાંજે 7-30 વાગ્યે અને આગામી તા. 12 જાન્યુઆરીના રોજ ‘કલશોર’નો કાર્યક્રમ સાંજે 7-30 વાગ્યે રાખવામાં આવેલ છે. આ આયોજનને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવા આવી રહી છે.

- text