મોરબી જીલ્લા ભાજપ કારોબારી સદસ્ય પરેશભાઈના માતુશ્રી મંજુલાબેન કચોરીયાનું અવસાન

- text


મોરબી : મંજુલાબેન ઘનશ્યામભાઈ કચોરીયા, તે પૂર્વ કાઉન્સિલર સ્વ. ઘનશ્યામભાઈ કચોરીયાના ધર્મપત્ની, જીલ્લા ભાજપ કારોબારી સદસ્ય પરેશભાઈ કચોરીયા, ઘનશ્યામ ટ્રેડર્સના સંચાલક લલિતભાઈ કચોરીયા અને મોરબી ગ્રેઈન એન્ડ સુગર મર્ચન્ટ એસો.ના પ્રમુખ તથા ચેમ્બર ઓફ કોમર્સ મોરબીના જોઈન્ટ સેક્રેટરી તથા માહેશ્વરી સમાજ મોરબીના પ્રમુખ ઉમેશભાઈ કચોરીયાના માતુશ્રીનું તા. 06.01.2020 સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 09.01.2020 ગુરુવારે બપોરે 4.00 થી 6.00 કલાક સુધી પરસોત્તમ ચોક, 5, દાઉદી પ્લોટ, રવાપર રોડ, મોરબી મુકામે રાખવામાં આવેલ છે.

- text