મોરબીમાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીમાં યુવાને અગમ્ય કરણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરીને જીવનનો અંત આણી લીધો હતો.આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી ૨ લાયન્સનગર નવલખી રોડ પાસે રહેતા વિરેન્દસીંહ જંશવતસીંહ તોમાર ઉ.વ ૩૭ નામના યુવાને ગઈકાલે તા.૫ ના રોજ કોઈ કારણોસર પોતાના ધરે ગળે ફાંસો ખાઈ જતા તેનું મોત નીપજ્યું હતું.બાદમાં આ યુવાનના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો તે જાણવા આગળની તપાસ હાથ ધરી છે.

- text