માળીયાના વધારવા ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


માળીયા : માળીયા મિયાણાના વાધરવા ગામે યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગઈકાલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા મિયાણા તાલુકાના વાધરવા ( ભરતનગર) ગામે રહેતા હરદેવભાઈ ધીરૂભાઈ ડાંગર ઉ.વ.૨૧ નામના યુવાને તા.૧૬ ના રોજ કોઇ પણ કારણોસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.બાદમાં યુવનની ડેડ્બોડીને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.માળીયા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text