મોરબીમાં ગૌશળાના લાભાર્થે 27થી રામ કથા

- text


મોરબી : મોરબીમાં રામપારાયણ જ્ઞાનયજ્ઞ સમિતિ દ્વારા રામ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન આગામી તા. 27 ડિસેમ્બર, 2019થી 4 જાન્યુઆરી, 2020 સુધી બપોરે 2થી 6 વાગ્યા સુધી રામોજી ફાર્મ, લીલાપર, કેનાલ રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે. જેમાં વ્યાસપીઠ સ્થાનેથી મોઢેરા સ્થિત તપોવન આશ્રમના સંત અવધકિશોરદાસ રામાયણી દ્વારા ભાવિકોને રામ ચરિત્રના વિવિધ પ્રસંગોનું આધ્યામિક તથા સંગીતમય શૈલીમાં રસપાન કરવામાં આવશે. આ રામ કથાનું આયોજન મોઢેરા સ્થિત મોહનગીર ગૌશાળાના લાભાર્થે કરવામાં આવેલ છે. આ કથા અંતર્ગત તા. 30 ડિસેમ્બરના રોજ સોમવારે રાત્રે 9 કલાકે પીઠડ ગૌશાળા દ્વારા રામામંડળનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આયોજકો દ્વારા કથાનો લાભ લેવા માટે ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text