વાંકાનેર : અરણીટીંબા પાસે અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ પાસે અકસ્માત ઘાયલ થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ પાસેથી ગત તા.૪ના રોજ નૈાતમભાઇ ખીમજીભાઇ પરમાર ઉવ.૪૫વાળા પોતાનુ મો.સા. નં. જી.જે. ૩૬ એ ૧૬૨૧ વાળુ ચલાવી જઈ રહ્યા હતા.તે દરમિયાન તન્વીર હબીબભાઇ કડીવાર પોતાના મો.સા. નં. જી.જે. ૩૬ એન ૭૪૬૭ વાળુ ડબલ સવારીમાં સામેથી પુર ઝડપે અને બેદરકારીથી ચલાવીને એ બાઇકને હડફેટે લેતા નૈાતમભાઇને માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેમજ હુશેનભાઇ અમીભાઇ કડીવાર અને બાઇક ચાલકને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. આથી આ બનાવ અંગે ગણેશભાઇ ખીમજીભાઇ પરમારે આરોપી તન્વીરભાઇ હબીબભાઇ કડીવાર રહે. અરણીટીંબા,વાંકાનેર સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text