મોરબીમાં કાલે શનિવારે સનહાર્ટ ગ્રુપવાળા ગોવિંદભાઇના પરિવારનો સન્માન સમારોહ

- text


ઘડિયા લગ્ન કરનાર નવદંપતિઓનું પણ બહુમાન કરાશે

મોરબી : મોરબીમાં શ્રીજી હોલ ખાતે આવતીકાલે શનિવારના રોજ સનહાર્ટ ગ્રુપવાળા ગોવિંદભાઇના પરિવારનો સન્માન સમારોહ યોજવામાં આવનાર છે. આ સન્માન સમારોહમાં ઘડિયા લગ્ન કરનાર નવદંપતિઓનું પણ બહુમાન કરાશે.

- text

મોરબીમાં માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલ શ્રીજી હોલ ખાતે આવતિકાલે તા. 7ને શનિવારના રોજ બપોરે 2:30 કલાકે મા.મો. ઉ.પ.સમૂહ લગ્ન સમિતિ, કન્યા કેળવણી મંડળ, કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, ઉમિયા સમાધાન પંચ, ઉમિયા લગ્ન મેરેજ બ્યુરો, પાટીદાર સેવા સમાજ, પાટીદાર સેવા સમાજ, પાટીદાર કેળવણી ધામ અને ઉમિયા કલાસ ફોરમ દ્વારા ઉમિયા પરિવારના દરેક પ્રસંગમાં અગ્રેસર દાતા બનીને સમાજના દરેક પ્રસંગોને અમૂલ્ય બનાવનાર સનહાર્ટ ગ્રુપવાળા ગોવિંદભાઇ અને વસંતાબેનનો સન્માન સમારોહ યોજવામાં આવનાર છે. આ વેળાએ ઘડિયા લગ્નથી દામ્પત્ય જીવનમાં પગલાં માંડનાર નવદંપતિઓનું પણ સન્માન કરવામાં આવશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text