ટંકારા : ઈજાગ્રસ્ત ગલુડિયાને જીવનદાન આપતી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ

- text


ટંકારા : ટંકારા મામલતદાર કચેરી પાસે એક ગલુડિયાને કૂતરાએ ગળેથી દબોચી લેતા ઈજાગ્રસ્ત બનેલા ગલુડિયાને એનિમલ એમ્બ્યુલન્સએ તાત્કાલિક સારવાર આપી જીવનદાન આપ્યું હતું.

ટંકારા મામલતદાર કચેરીના પટાંગણમાં આજે બપોરે એક કૂતરાએ માસુમ ગલુડિયાને ગળેથી દબોચી લીધું હતું. ગલુડિયાની ચીસો સાંભળીને કચેરીના મહિલા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. તેઓએ તરત જ કૂતરાને ભગાડી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના પાઈલોટ મયુરસિહ ગોહેલ અને ડો. રાજેશ માલકિયા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ ગલુડિયાને તુરંત સારવાર આપીને જીવનદાન આપ્યું હતું.

- text

- text