ઘીયાવડ પ્રા. શાળાના ભૂતપૂર્વ આચાર્યએ વિદ્યાર્થીઓને દફતર અને સ્ટેશનરીની ભેટ આપી

- text


વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી. જુના કણકોટ, તાલુકો – વાંકાનેરમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય નિર્મળાબેન રાનપરા અને તેમના પરિવાર દ્વારા ગામના તમામ બાળકોને ગુજરાતી થાળીની વાનગીઓનું પ્રેમ પૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ બાળકોને દફતર અને સ્ટેશનરીની ભેટ આપવામાં આવી હતી. દરેક બાળકને ચોકલેટ દ્વારા મીઠું મોઢું કરાવ્યું અને “જય શ્રી કૃષ્ણ” બોલાવવામાં આવ્યું હતું.

- text

શાળાના આચાર્ય વિરેન્દ્ર સિંહ પરમારે શાળા તરફથી નિર્મળાબેનને આભાર સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસરપંચ ધ્રુવરાજસિંહ, જગુભા, પરાક્રમસિંહ, પિયુષભાઈ પરમાર અને નમ્રતાબાએ જહેમત ઉઠાવી હતી. નિવૃત્ત થયા પછી પણ શાળા અને ગામ પ્રત્યેની તેમની લાગણી અને પ્રેમ ધન્યવાદને પાત્ર છે. તેમજ અન્ય શિક્ષક મિત્રો માટે પ્રેરણાદાયી છે.

- text