- text
મોરબી : મોરબીના બોનીપાર્કમાં રહેતા એક યુવકે આર્થિક સંકડામણના કારણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર ગામે આવેલ બોનીપાર્કમા રહેતા દિલીપભાઈ ઉર્ફે બીપીનભાઈ પટેલ નામના 30 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાના ઘરે જ જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે એ ડિવિઝન પોલીસે કરેલી તપાસમાં આપઘાત કરવા પાછળનું કારણ આર્થિક સંકડામણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલ્યું છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.
- text
- text