મોરબી : રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના સ્નેહમિલનમા હોદેદારોની નિમણૂક

- text


મોરબી : રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા મોરબી જિલ્લામાં પ્રથમ વખત સ્નેહ મિલનનું આયોજન ગત તા. 17 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ તરીકે કેતનભાઈ લવા, ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઇ લવા, મંત્રી તરીકે રવિભાઈ જોશી , સહમંત્રી તરીકે પાર્થભાઈ જોશી તેમજ ખજાનચી તરીકે સતિષભાઈ લવાની વરણી કરવામાં આવી હતી. આ સ્નેહ મિલનમાં મોરબી જિલ્લા સ્થિત તમામ જ્ઞાતિજનોએ ઉમંગભેર હાજરી આપી હતી.

- text