માળીયા (મી.)ના સુલતાનપુર ગામેથી સગીરાનું અપહરણ કરી જનાર ઝડપાયો

- text


મોરબી : મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા માળીયા (મી.) તાલુકાના સુલતાનપુર ગામેથી સગીરાને અપહરણ કરી લઇ જનાર આરોપી તથા ભોગ બનનારને સરતાનપર રોડ, અમોરા સીરામીક, વાંકાનેર ખાતેથી શોધી કાઢવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ, અપહરણના ગુનાનો આરોપી ધર્મેશ લાભુભાઈ સનુરા (ઉ.વ. 23, ધંધો – મજૂરી, રહે. સુલતાનપુર, તા. માળીયા (મી.)) સગીરાને ગત તા. 07 ઓગસ્ટના રોજ અપહરણ કરી લઇ ગયો હતો. તપાસ દરમિયાન પોલીસને મળેલ બાતમીના મુજબ તથા ટેક્નોલોજીના માધ્યમથી આરોપી તથા ભોગ બનનાર બંને વાંકાનેરમાં અમોરા સીરામીક, સરતાનપર રોડ આજુબાજુ હોવાની જાણ થતા એ.એસ.આઈ. અનંતરાય ડી. પટેલ, પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ઝાલા તથા મોરબી તાલુકા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ઉપરોક્ત સ્થળેથી બંનેને શોધી કાઢી આરોપીની ગઈકાલે તા. 13 નવેમ્બરના રોજ અપહરણ તથા જાતીય સતામણીના કાયદા હેઠળ અટકાયત કરી હતી.આ કેસ અંતર્ગત પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text