મોરબી તથા માળીયા રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભાનું આયોજન

- text


મોરબી : મોરબી તથા માળીયા (મી.)ના રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા આગામી તા. ૨૪|૧૧|૧૯ રવિવારના રોજ સાંજે ત્રણ વાગે જ્ઞાતિની વાડીએ રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે રાખેલ છે. જેમાં વિવિધ એજન્ડાને બહાલી આપવામાં આવશે. જેમાં જગતગુરુ રામાનાંદાચાર્યજીની ૭૨૦મી જન્મજયંતિ ઉજવણી અંગે ચર્ચા, ૨૦૧૮/૧૯ના વાર્ષિક હિસાબનું ઓડિટ, ઓફિસ કામના સમારકામ કરવા, વાડી ભાડામાં ફેરફાર કરવા અંગે, જૂના સરસામાન રદ કરવા તેમજ સભાના પ્રમુખ સ્થાનેથી જે રજૂ થાય તે અંગેના મુદ્દાને બહાલી આપવામાં આવશે. જેમાં મોરબી-માળીયાના રામાનંદી સાધુ સમાજને બહોળી સંખ્યામાં હાજર રહેવા રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text