માળીયાના ખાખરેચી ગામે તલાટી મંત્રીની બદલીનો ગ્રામજનો દ્વારા વિરોધ

- text


સરપંચ સહિતના ગ્રામજનોએ ડી.ડી.ઓ.ને આવેદન આપીને તલાટીની બદલીનો ઓર્ડર રદ કરવાની માંગ કરી

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે તલાટી મંત્રીની બદલી કરાતા ગ્રામજનોએ આ તલાટી મંત્રી નિષ્ઠાવાન અને ગામના હિત માટે કામ કરતા હોવાનું જણાવીને તેમની બદલીનો વિરોધ કર્યો હતો.સરપંચ સહિતના ગ્રામજનોએ તલાટી મંત્રીના તરફેણમાં ડી.ડી.ઓ.ને આવેદનપત્ર આપીને તલાટી મંત્રીનો બદલીનો ઓર્ડર રદ કરવાની માંગ કરી છે.

- text

માળીયા તાલુકાના ખાખરેચી ગામે ગ્રામ પંચાયતના નેજા હેઠળ સરપંચ ,ઉપ સરપંચ, સદસ્યો અને સહકારી મંડળીના પ્રમુખ સહિતના ગ્રામજનોએ મોરબી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, ખાખરેચી ગામના તલાટી મંત્રી વિવેકભાઈ પાડલીયાની અચાનકની વીર વિદરકા ગામે બદલી કરવામાં આવી છે.આ તલાટી મંત્રી ફરજ પ્રત્યે નિષ્ઠાવાન છે અને ગામના કામો માટે નિષ્ઠાપૂર્વક કામ કરે છે.ત્યારે આવા નિષ્ઠાવાન તલાટી મંત્રીની અચાનક બદલી થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.આ તલાટી મંત્રીની બદલીનો વિરોધ કરીને ગ્રામજનોએ ડીડીઓને આવેદનપત્ર આપીને તલાટી મંત્રીની બદલીનો ઓર્ડર રદ કરીને ફરી તેમની ખાખરેચી ગામમાં નિમણૂક કરવાની માંગ કરી છે.

- text