જસાપર ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં રક્તદાન કેમ્પ યોજાયો : આજે રાત્રે ભવ્ય સંતવાણી

- text


માળીયા (મી.) : માળિયા(મિંયાણા)ના જસાપર ગામે તા.૬-૧૧-૨૦૧૯ના કાનગડ પરિવાર દ્વારા સ્વ.ભાવેશભાઇ સવાભાઇ કાનગડના સ્મણાર્થે યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી કથાનું શ્રવણ કરી રહ્યા છે. સાથે રક્તદાન કેમ્પ યોજી સેવાકાર્યનું પણ બીડું હાથ ધરવામાં આવ્યું છે.

- text

જેમાં ‘રક્તદાન મહાદાન છે.’ એ ઉદ્દેશ્યથી લાઇફના સહયોગથી તા.૯-૧૧‌-૨૦૧૯ના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૫૬ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ હતું.

આ ઉપરાંત, આજે રાત્રે ૧૦ કલાકે સંતવાણી-લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુટ્યુબ અને સોશ્યિલ મિડિયામાં ધુમ મચાવતું મન કરે મોજ ગીતના ગાયક કુલદિપ ગઢવી, લોકસાહિત્ય રાજુભાઇ આહિર કલાકાર પોતાના કોકીલકંઠ અવાજમાં ભજન સંતવાણીની રમઝટ બોલાવશે. આ તકે સહુ સંતવાણીપ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા કાનગડ પરિવાર દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text