વાંકાનેર નગર સેવા સદન દ્વારા BPL કાર્ડધારકો માટે અગત્યની જાહેરાત

- text


વાંકાનેર : વાંકાનેર નગર સેવા સદન અંતર્ગત માળીયા અને વાંકાનેર નાગપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા BPL કાર્ડધારકો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી હતી.

- text

આ જાહેરાત અનુસાર કેન્દ્ર સરકાર પુરસ્કૃત અને રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત ‘દિન દયાલ અંત્યોદય યોજના અંતર્ગત – રાજ્ય શહેરી આજીવિકા મિશન’ અંતર્ગત માળીયા તથા વાંકાનેર નગરપાલિકા ખાતે શહેરી ગરીબો કે જેમની પાસે નગરપાલિકાનું બી.પી.એલ. કાર્ડ અથવા બી.પી.એલ. રેશન કાર્ડ અથવા માં કાર્ડ હોય, તેઓ આ યોજના અંતર્ગત સખી મંડળ બનાવવા, ધંધા-રોજગાર માટે લોન મેળવવી તેમજ જુદા-જુદા ટ્રેડમાં તાલીમ મેળવવા જેવા લાંબો લઇ શકે છે. બેન્ક મારફત અપાવવામાં આવતી લોનમાં ધંધો-વ્યવસાય કરવા માંગતા લાભાર્થીઓને રૂ. 2 લાખની મર્યાદામાં બેન્ક લોન અપાવવામાં આવે છે. આ અંગે લાભ લેવા માંગતા શહેરી બી.પી.એલ. કુટુંબોએ માળીયા નગરપાલિકા તથા વાંકાનેર નગરપાલિકા ખાતે અરજી કરવા કે વધુ માહિતી મેળવવા માટે રૂબરૂ સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text