વાંકાનેર : આશિકે રસુલ ગ્રુપ દ્વારા ઈદની પ્રેરણાદાયી ઉજવણી

- text


વાંકાનેર : વાંકાનેરમાં આશીકે રસુલ ગ્રુપ ચંદ્રપુર દ્વારા આજે હજરત મહમદ પયગમ્બર સાહેબના જન્મ દિવસ નિમિત્તે જશને ઈદે મીલાદુન્ન નબીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ઈદ નિમિતે કેક કાપીને હજરત મહમદ પયગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં દર્દીઓને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને બપોરનું ભોજન કરાવ્યું હતું.આ ગ્રુપના સુલ્તાન દેકાવળિયા, બસીર બાદી, સીરાકમુદીન શરસિયા (એડવોકેટ), ઇસ્માઇલ પીડાર અશરફ શરસિયા અને રહીમ દેકાવાળીયાએ ઈદની અનોખી ઉજવણી કરી હતી.

- text

- text