બગથળામાં ગૌશાળાના લાભાર્થે કાલે નાટકનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામમાં અભિલાષા ગૌસેવા યુવક ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક ‘રા’નવઘણ યાને કે આહીરનો આશરો’ તથા કોમીક ‘નભલો-પભલો’નું આયોજન બસ સ્ટેન્ડની બાજુમાં આવતીકાલે તા. 27/10/2019ના રવિવારે દિવાળીના દિવસે રાત્રે 9 કલાકે કરવામાં આવ્યું છે. આ તકે અભિલાષા ગૌસેવા યુવક ટ્રસ્ટ દ્વારા ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text