મોરબી : પૂર્વ મુખ્યમંત્રી સ્વ. દિલીપભાઈ પરીખને ભાવાંજલિ અર્પતા ધારાસભ્ય મેરજા

- text


મોરબી : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખના નિધન અન્વયે શોકની લાગણી વ્યક્ત કરતા મોરબી – માળીયા મિયાણાના ધારાસભ્ય બ્રિજેશ મેરાજાએ સદગતને ભાવાંજલિ અર્પતા જણાવ્યું છે કે દિલીપભાઈ પરીખ શ્રેષ્ઠ મહાજન પરંપરાના પ્રતીક હતા. સ્વભાવે મિતભાષી, પરગજ્જુ અને સરળતાને વરેલા તેઓ સર્વમિત્ર હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે તેમણે આપેલી સેવાઓ એક યાદગાર સંભારણું બની ગયું છે. ધંધુકા મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકેની તેમની લોકભોગ્ય બની છે. તેઓના મુખ્યમંત્રી કાળ દરમિયાન સામાન્ય માણસને પણ સુલભતાથી મળી શકતા એક આદર્શ મુખ્યમંત્રી હતા. તેમના અવસાનથી ગુજરાતના જાહેર જીવનમાં એક સરળ અને ઉમદા વ્યક્તિત્વનો વિલય થયો છે. બ્રિજેશ મેરાજાએ તેમના પરિવારને સાંત્વના પાઠવીને પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી ભાવાંજલિ પાઠવી છે.

- text