- text
મોરબી : સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ ગોહેલ દ્વારા મોરબીના સામા કાંઠા વિસ્તારની રોડ લાઈટ અને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા અંગે રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે સામા કાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ સુધીની લાઈટો છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં છે. જેના કારણે રાતના સમયે લોકોને રસ્તો ઓળંગવામાં મુશ્કેલી થાય છે અને અકસ્માતો સર્જાય છે. આ ઉપરાંત, રામકૃષ્ણ નગરની સ્ટ્રીટ લાઈટ પણ એક મહિનાથી બંધ છે. જેની ગત તા. 5 ઓક્ટોબરના રોજ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
દિવાળીનો તહેવાર પણ નજીક હોવાથી આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિવારણ આવે તે માટે સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ ગોહેલ દ્વારા રા જ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને અપીલ કરવામાં આવી હતી.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text