- text
મોરબી : શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામ મોરબી સંચાલિત સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામ મોરબી સંચાલિત સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી જેતપર રોડ, પાવડીયારી પાસે પીપળી રોડ સ્થિત બ્લુઝોન વિટ્રીફાઇડ પ્રા.લિ.માં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 09 વાગ્યાથી શરૂ થયેલા આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન દ્વારા મોટી માત્રામાં રક્ત એકત્રિત કરાયું હતું. જે જરૂરિયાત વાળી હોસ્પિટલોને પહોંચાડવામાં આવશે. આ તકે રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text