જામદૂધઈ ગામે ગૌશાળાના લાભાર્થે વિજયા દશમીએ નાટક ભજવાશે

- text


મોરબી : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદૂધઈ ગામે આવેલ બજરંગ ધર્મશાળા પાસે જાહેર ચોકમાં આગામી તા.8ને મંગળવારે રાત્રે 9-30 વાગ્યે વિજયા દશમીના પાવન પર્વ પર ગૌસેવાના લાભાર્થે જામદૂધઈ ગૌસેવા મંડળ અને ગામ સમસ્ત દ્વારા નાટક રણગર્જના અને હાસ્ય કોમિક ગવાનો ગોટાળો ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જોકે છેલ્લા 78 વર્ષથી ઐતિહાસિક નાટક ભજવીને અબોલ ગૌમાતાની સેવા કરવામાં આવે છે.ત્યારે ગૌસેવા માટે યોજાનાર આ નાટક નિહાળવા ધર્મપ્રેમી જનતાને જામદૂધઈ ગામ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text