મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં બોડી લેંગવેજ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ચાલતી જ્ઞાનધારા અંતર્ગત બોડી લેંગ્વેજ અંગેનો કાર્યક્રમ કોલેજના આચાર્ય એલ. એમ. કંઝારિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જ્ઞાનધારાના કો-ઓર્ડીનેટર ડો. રામ વારોતરિયા મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ આચાર્ય એલ. એમ. કંઝારિયાએ વિદ્યાર્થીઓને નોકરી, ઇન્ટરવ્યૂ તથા જુદા-જુદા પ્રસંગે બોડી લેન્ગવેજ કેવી હોવી જોઈ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતમાં પ્રોફેસર કે. આર. દંગી દ્વારા આભારદર્શન વિધિ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું.

- text